menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, April 12, 2015

કાટમાળ કૌભાંડમાં કચ્છના શિક્ષકો આરોપમુક્ત


ગાંધીનગર : કચ્છના બહુચર્ચિત કાટમાળ કૌભાંડમાં આરોપી બનાવાયેલા શિક્ષકો માટે રાહતજનક ઘટનાક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 14 વર્ષ બાદ આ 572 શિક્ષક-શિક્ષિકાને આરોપમુક્ત કરવાની જાહેરાત કરી હતી. કચ્છના વિનાશકારી ભૂકંપમાં અનેક શાળાઓ પણ ધ્વંસ થઇ હતી અને તેના કાટમાળને ખસેડવાના કથિત કૌભાંડમાં થયેલી પોલીસ ફરિયાદોમાં કચ્છની વિવિધ શાળાઓના 572 જેટલા શિક્ષક-શિક્ષિકાને પણ તેઓએ સહી કરી હોવાના કારણે સંડોવવામાં આવી હતી. આ અંગે શિક્ષિકાઓ અને તેમના મંડળે ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. મુખ્યપ્રધાનને પણ આ અંગે રજૂઆતો કરી હતી કે તેઓને ખોટા સંડોવવામાં આવ્યા છે, અમારી પાસે સહી કરાવવામાં આવી હતી. આ અંગે મુખ્યપ્રધાને આજે જાહેરાત કરી હતી કે, કચ્છના આ 572 શિક્ષક-શિક્ષિકાની સામે લાગેલા આરોપોમંથી મુક્ત કરાશે. સાથેસાથે શિખામણ પણ આપી હતી કે, હવે કોઇપણ જગ્યાએ કાગળો ઉપર સહી કરો તો કાળજી લેજો અને વાંચ્યા પછી નિયમ મુજબના કાગળ ઉપર જ સહી કરજો. મુખ્યપ્રધાનની આ જાહેરાતને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે આવકારી છે. ગાંધીનગરમાં આજે રાજ્યના 249 તાલુકાઓની પ્રાથમિક શિક્ષિકા બહેનોના વુમન નેટવર્ક પ્રોજેક્ટ અંતર્ગત વનડે સેમિનારને મુખ્યપ્રધાને ખુલ્લો મૂક્યો હતો. મુખ્યપ્રધાન આનંદીબેને રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આધુનિક ટેકનોલોજી ઇ-લર્નિંગ, ઇ-કલાસના માધ્યમોના વિનિયોગથી પ્રારંભિક સ્તરથી જ બાળમાનસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા આહ્વાન કર્યું હતું. તેમણે શિક્ષણ સુધારણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના ગુણોત્સવમાં આ વર્ષે સી અને ડી તથા તેથી નીચો ગુણાંક ધરાવતી શાળઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની સુકન્યા નિધિ યોજનામાં  દીકરીઓને આવરી લેવાનું  અભિયાન ઉપાડી 10 વર્ષ સુધીની કન્યાના ખાતા ખોલાવવામાં  શિક્ષકો શાળાપરિવાર સહયોગી બને તેવી અપીલ કરી હતી. મુખ્યપ્રધાને બાળકોને પુસ્તકિયા જ્ઞાન સાથે તેની સુષુપ્ત શક્તિઓ પારખી તેને વિકસાવવાના અવસરો- પ્રોત્સાહન આપી ઇત્તર પ્રવૃત્તિમાં પણ ક્વોલિટી એજ્યુકેશન માટે ભારપૂર્વક અનુરોધ શિક્ષકોને કર્યો હતો. આ પ્રસંગે શિક્ષક સંઘ તરફથી કન્યાકેળવણી નિધિ માટે રૂા. 2.51 લાખનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કર્યો હતો.

  આ હતું કચ્છનું ચકચારી કાટમાળ કૌભાંડ  ભુજ, તા. 11 : કચ્છમાં ધરતીકંપ પછી ઠેરઠેર ભૂકંપે સર્જેલા કાટમાળ દૂર કરવા રાજ્ય સરકારે ખાસ પરિપત્ર બહાર પાડીને ગામેગામ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિના પ્રમાણપત્રના આધારે જ કાટમાળ હટાવવાની કામગીરી કરવા સાથે ચૂકવણું કરવાનું હતું. આ યોજનાનો મોટાપાયે દુરુપયોગ થયો હતો. વ્યાપક ગેરરીતિ થઇ હતી. એસીબીએ એક હજારથી વધુ લોકોને આરોપી બનાવી તાલુકે તાલુકે ફરિયાદો સાથે તપાસનો દોર શરૂ કર્યો હતો. આરોપીઓમાં અધિક જિલ્લા વિકાસ અધિકારીથી માંડી તા.વિ. અધિકારી, સરપંચો, શિક્ષકો અને ગામના વેપારીઓ સહિતનાનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં શિક્ષકો અને પંચ નિર્દોષ હોવાની રજૂઆતો તેમજ આખી ગેરરીતિ અમુક જણે જ કરી હોવાના આક્ષેપો થાય છે. આ કાટમાળ કૌભાંડની જામેલી ચર્ચા વચ્ચે ભૂકંપ બાદની પ્રથમ દિવાળી ભૂકંપગ્રસ્તો સાથે મનાવવા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચોબારી આવ્યા હતા. તેમના રોકાણ દરમ્યાન કચ્છમિત્રમાં કાટમાળ કૌભાંડ સંદર્ભે પ્રસિદ્ધ થયેલા અહેવાલોના પગલે તેમણે તપાસ શરૂ કરાવી હતી અને રાજ્યના સૌથી વધુ સરકારી કર્મચારીઓને આરોપી બતાવતું કૌભાંડ બહાર આવ્યું હતું.


No comments:

Post a Comment