*
ભારત આઝાદ: ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ (ઇન્ડિયા ઈન્ડીપેન્ડન્ટ એક્ટ ૧૯૪૭)
બંધારણ સભા: કુલ સભ્યો:૩૮૯, ભારત પાકિસ્તાન અલગ થતા કુલ ૨૯૪ સભ્યો (કેબીનેટ મિશન)
બંધારણ સભાના પ્રમુખ: ડો.રાજેન્દ્ર પ્રસાદ - બંધારણ સ્વીકાર: ૨૬ નવેમ્બર ૧૯૪૯
બંધારણનો અમલ: ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ – રાજ્યોનો સંઘ-૨૯ રાજ્યો, 0૭ કેન્દ્ર શાસિત પ્રદેશ
કુલ આર્ટીકલ(કલમો): ૩૯૫ હાલમાં ૪૪૪, ૨૨ ભાગ, ૧૨ શિડયુલ, કુલ ખર્ચ ૬૪ લાખ
બંધારણ બનાવવામાં લાગેલ સમય: ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ
દુનિયાનું સૌથી મોટું, લેખિત, લચીલું, ફેરફાર સુધરા વધારા કરી શકાય.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની વહેચણી, કાયદા બનાવવાની બંનેને સતા
બંધારણ એટલે દેશનો સૌથી મોટો કાયદો, તમામ કાયદાથી ઉપરનો દેશનો કાનૂની દસ્તાવેજ
ભારત: બિન સાંપ્રદાયિક, પ્રજા સતાક, સાર્વભોમ, સમાજવાદી-રાજ્યને કોઈ ધર્મ નથી
સંસદીય પદ્ધતિની શાસન વ્યવસ્થા, પુખ્ત મતાધિકાર, દર પાંચ વર્ષે ચુંટણી
મુસદ્દા(ડ્રાફ્ટીંગ) સમિતિના ચેરમેન: ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર (૨૯ ઓગસ્ટ ૧૯૪૭)
સલાહકાર: બી.એન.રાવ
સમીતીના સભ્યો: ૧. સૈયદ મોહમદ સાદુલ્લા ૨. બી.એન.ગોપાલ સ્વામી આયંગર ૩. સી. ક્રિશ્ના સ્વામી ઐયર ૪. કનૈયાલાલ મુનશી ૫. એફ.એન. માધવ રાવ (બી.એલ. મિતર ની જગ્યાએ-રાજીનામું ) ૬. ટી.ટી. ક્રિશ્નામાં ચારી (ડી.પી. ખેતાનની જગ્યાએ-અવસાન)
બંધારણમાં સમાવિષ્ટ વિશેષ બાબતો:-
૧. આમુખ ૨. નાગરિકતા ૩. રાજ્યોની રચના ૪. મૂળભૂત અધિકારો ૫. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ૬. નાગરિકની ફરજો ૭. યુ.પી.એસ.સી. ૮ ચુંટણી પંચ ૯. સંસદની રચના, સતા અને કાર્ય ૧૦. રાજ્ય સભા, રચના, સતા, કાર્ય ૧૧. રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિની ચુંટણીઓ, સતા, ફરજ ૧૨. વડા પ્રધાન, સતા, ફરજો ૧૩. કેન્દ્રીય મંત્રી મંડળ સતા, ફરજો, ૧૪ રાજ્યપાલની નિમણુક, સતા, ફરજો ૧૫. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, જજોની નિમણુક, સતા, ફરજો ૧૬. રાજ્ય વિધાન સભાની ચુંટણીઓ, રચના, સતા, ફરજો ૧૭. મુખ્ય મંત્રી ૧૮ રાજ્ય મંત્રી મંડળ, સતા, ફરજો ૨૦ પંચાયત.નગર પાલિકા, મહાનગર પાલિકા, ચુંટણીઓ, રચના, સતા, ફરજો, ૨૧. વિદેશી બાબતો ૨૨ કટોકટી ૨૩ રાષ્ટ્રપતિને સજા માફીની સતા ૨૪ રાજ્યપાલને સજા માફીની સતા ૨૫ સંસદ અને વિધાનસભાને ધારા ઘડવાની સતા
સંસદ:
સંસદ(નીચલું ગૃહ): કુલ સભ્યો ૫૪૫ જેમાં ૫૪૩ સભ્યો સીધી ચુંટણીઓથી પુખ્ત મતદારો દ્વારા મતદાનથી ચુટાય છે. દર પાંચ વર્ષે ચુંટણી થાય છે. સંસદની મુદત પાંચ વર્ષ હોય છે.
+ ૨ સભ્યો એન્ગલો ઇન્ડિયનની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. કુલ સભ્ય: ૫૪૩+૨ = ૫૪૫
રાજ્ય સભા:-
રાજ્ય સભા(ઉપલું ગૃહ): કુલ સભ્યો ૨૫૦ જેમાં ૨૩૮ સભ્યો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચુટાય છે. કાયમી ગૃહ છે. દર બે વર્ષે ૨/૩ સભ્યો નિવૃત થાય છે.
૧૨ સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. કલા, વિજ્ઞાન, રમતગમતના પ્રતિષ્ટિત લોકોમાંથી નિમણુક કરવામાં આવે છે. કુલ સભ્ય= ૨૩૮+૧૨= ૨૫૦
ગુજરાતમાંથી રાજ્ય સભામાં કુલ ૧૧ સભ્યો છે.
ગુજરાત વિધાનસભા:-
ગુજરાત: વિધાનસભા૧૮૨ સભ્યો ચુંટાઈને વિધાનસભામાં જાય છે. ૧૩ અનુસુચિત જાતિ માટે અનામત અને ૨૭ અનુસુચિત જનજાતિ માટે અનામત છે.
રાજ્યપાલની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે.
મૂળભૂત અધિકારો આર્ટીકલ ૧૪ થી ૩૫ સુધી
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આર્ટીકલ 36 થી ૫૧
નાગરિકોની ફરજો: આર્ટીકલ ૫૧ – A
મૂળભૂત અધિકારો: ૧. સમાનતાનો અધિકાર ૨. સ્વતંત્રતાનો અધિકાર ૩. જીવન જીવવા અને વ્યક્તિ સ્વાતંત્રનો અધિકાર ૪. શોષણ વિરુદ્ધના અધિકારો ૫. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો ૬. બંધારણીય ઉપાયનો અધિકાર
આર્ટીકલ ૧૪: સમાનતા: કાયદા સમક્ષ બધા સરખા કાયદાનું બધાને સરખું રક્ષણ,રાજ્ય કાયદાનું સરખું રક્ષણ આપવાની ના પાડી શકે નહિ.
આર્ટીકલ ૧૫: ભેદભાવ સામે પ્રતિબંધ: જાતિ, જ્ઞાતિ, લિંગ ધર્મ કે જન્મ સ્થાનના આધાર પર રાજ્ય કોઈ વ્યક્તિ સામે ભેદભાવ રાખવા પર પ્રતિબંધ
અપવાદ: અનુસુચિત જાતિ, જન જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાજ્ય કોઈ ખાસ કાયદો કે કલ્યાણકારી યોજના બનાવી શકે.
આર્ટીકલ ૧૬: નોકરીઓમાં સરખી તક: તમામ નાગરિકોને નોકરી અને નિમણુકમાં જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મ કે જન્મ સ્થાનના ભેદભાવ વગર સરખી તક
અપવાદ: અનુસુચિત જાતિ, જન જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાજ્યની સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ ના હોય તો તેના માટે નોકરીઓમાં અનામતની જોગવાઈ કરે તો આ કલમનો ભંગ થતો નથી.
આર્ટીકલ ૧૭: અસ્પૃશ્યતા નાબુદી; આજથી આશ્પૃશ્યતા નાબુદ કરવામાં આવે છે.કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરશે તો સજા પાત્ર ગુનો બનશે.
આર્ટીકલ ૧૮: ખીતાબોની નાબુદી: રાજ્ય લશ્કરી કે શૈક્ષણિક સિવાયના ખિતાબો આપી શકશે નહિ. વિદેશના કોઈ ખિતાબો સરકારની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિ લઇ શકશે નહિ.
આર્ટીકલ ૧૯: સ્વતંત્રતાના અધિકારો: ૧. વાણી અને અભિવ્યક્તિ ૨. હથિયાર વગર ભેગા થવાનો, સભા, સરઘસો કાઢવાનો અધિકાર ૩. સંગઠન કે સંઘો બનાવવાનો અધિકાર ૪. દેશમાં હરવા ફરવાનો અધિકાર ૫. રહેઠાણ કે વસવાટ કરવાનો અધિકાર ૬ ધંધા રોજગાર કરવાનો અધિકાર જેમાં રાજ્ય સરકાર લાયકાત નક્કી કરી શકે અમુક ધંધા ફક્ત રાજ્ય કરી શકે.
આર્ટીકલ ૨૦: ગુના સામે રક્ષણનો અધિકાર: એકને એક ગુનામાં બે વાંર સજા ના થાય, પોતાની સામે સાક્ષી બનવાની ફરજ ના પાડી શકાય, જે સમયે ગુનો બન્યો હોય તે વખતે કાયદામાં જેટલી સજાની જોગવાઈ હોય તેટલીજ સજા થાય.
આર્ટીકલ ૨૧: જીવન જીવવાનો અને વ્યક્તિ સ્વાતંત્રનો અધિકાર: કોઈ પણ વ્યક્તિનો કાયદા મનાય રસ્તા સિવાય જીવન જીવવાનો અધિકાર છીનવી ના શકાય, કાયદો યોગ્ય હોવો જોઈએ, કાયદાની યોગ્ય પ્રક્રિયા હોવી જોઈએ, બચાવની તક આપવી જોઈએ.
કાગડા કુતરા જેવું જીવન નહિ પણ ગૌરવ પૂર્ણ જીવન હોવું જોઈએ. સુરક્ષાનો અધિકાર, આરોગ્યનો અધિકાર, ખોરાકનો અધિકાર, રહેઠાણનો અધિકાર, સ્વચ્છ પાણીનો અધિકાર, સ્વચ્છ હવા અને પર્યાવરણનો અધિકાર
આર્ટીકલ ૨૧-A: ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ: મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૨૦૦૯
આર્ટીકલ ૨૨: ધરપક સામે રક્ષણ: ધરપકડના કારણો જાણવાનો અધિકાર, પસંગીના વકીલની સલાહનો અધિકાર, ધરપકડ વખતે સાક્ષીની સહી લેવી, કોની કસ્ટડીમાં અને ક્યાં રાકવામાં આવેલ છે ધરપકડ કાર્યની સગા, સબંધી, મિત્રને જાણ કરવી, ડોકટરી તપાસ, ૨૪ કલાકમાં નજીકના મેજીસ્ટ્રેટ પાસે રજુ કરવા,
આર્ટીકલ ૨૩: માનવ વેપાર અને વેઠ કે બળજબરીથી મજુરી સામે પ્રતિબંધ
આર્ટીકલ ૨૪: ૧૪ વર્ષથી નાના બાળકોને જોખમકારક કામ પર કારખાનામાં રાખવા સામે મનાઈ
આર્ટીકલ ૨૫: ધર્મ સ્વાતંત્ર અંગેનો અધિકાર:પસંદગીનો ધર્મ પાળવાની છૂટ
પોતાના અંત: કરણ મુજબ ધર્મો પાળવાનો કે પ્રચાર કરવાનો અને અપનાવવાનો અધિકાર રહેશે.
આર્ટીકલ ૨૬: ધાર્મિક બાબતોમાં વહીવટનું સ્વાતંત્ર
ધાર્મિક તથા સાર્વજનિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવી તથા ચલાવવી
ધર્મની બાબતમાં જાતે સંચાલન કરવું.
સ્થાયી અને અસ્થાયી મિલકતનો વહીવટ કરવો.
આર્ટીકલ ૨૭: કોઇપણ ધાર્મિક સંપ્રદાયના ઉત્કર્ષ તથા દેખરેખ માટે ઉભા કરતા નાણામાંકોઈને દાન આપવાની ફરજ પાડી શકાય નહિ.
આર્ટીકલ ૨૮: રાજ્યના ભંડોળમાંથી થોડા અથવા સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થોમાં ધર્મનું શિક્ષણ આપી શકાશે નહી. પરંતુ કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલી સંસ્થા તેમાં ધાર્મિક જ્ઞાન જરૂરી હોય અને રાજ્યના વહીવટથી ચાલતી હોય તો ઉપરની જોગવાઈઓ લાગુ ન પડે.
આર્ટીકલ ૨૯: સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા લઘુમતીના અધિકારો:
૧. દેશના કોઈ ભાગમાં નાગરિકોનું જૂથ રહેતુ હોય તેઓને તેમની પોતાની ભાષા, લીપી, અથવા સંસ્કૃતિ અલત હોય તો તેની જાળવણી કરવાનો અધિકાર રહેશે.
૨. રાજ્યના ભંડોળમાંથી થોડા કે સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ વ્યક્તિને માત્ર ધર્મ, વંશ, જ્ઞાતિ, ભાષાના આધારે પ્રવેશ આપવાની ના પાડી શકાશે નહિ.
આર્ટીકલ ૩૦: બધીજ લઘુમતીઓને, પછી તે ધાર્મિક હોય કે ભાષાકીય, પસંદગીની સંસ્થાઓ સ્થાપવાનો તથા ચલાવવાનો અધિકાર રહેશે.
જે તે કાયદા નીચે આવી સંસ્થાઓની મિલકતો સંપાદિત કરવી પડે તેમ હોય ત્યારે ઉપર જણાવ્યા મુજબનો અધિકાર છીનવાય ના જાય તેની દેખરેખ રાજ્યે રાખવી પડશે. રાજ્યના નાણા શૈક્ષણિક સંસ્થાઓને વહેચતી વખતે, સંસ્થાઓ માત્ર ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીઓ છે, તેટલા જ કારણથી તેના પ્રત્યે ભેદભાવ રાખી શકશે નથી.
આર્ટીકલ ૩૨: બંધારણીય ઇલાજનો અધિકાર, મૂળભૂત અધિકારોના ભંગ સામે સીધી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ધા નાખી શકાય
સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટ બંધારણીય કોર્ટ છે.
બંધારણની જોગવાઈઓની સુસંગત ન હોય કે ભંગ કરતો કોઈ કાયદો હોય તો તે કાયદો કે તેનો અમુક ભાગ રદ્દ થઇ શકે. કાયદાની સમીક્ષા કરવાની સતા સુપ્રીમકોર્ટને છે. સુપ્રીમકોર્ટ રદ કરી શકે.
આર્ટીકલ ૩૭૦: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા બાબત હતી જે વર્ષ ૨૦૧૯ મા ખતમ કરવામાં આવેલ છે.
આર્ટીકલ ૩૩૦: અનુસુચિત જાતિ અને જન જાતિના વર્ગો માટે સંસદમાં અનામતની જોગવાઈ
આર્ટીકલ ૩૩૧: એન્ગલો ઇન્ડિયન માટે સંસદમાં અનામતની જોગવાઈ (૦૨)
આર્ટીકલ ૩૩૨: અનુસુચિત જાતિ અને જન જાતિના વર્ગો માટે વિધાનસભામાં અનામતની જોગવાઈ
આર્ટીકલ ૩૩૩: એન્ગલો ઇન્ડિયન માટે વિધાનસભામાં અનામતની જોગવાઈ (૦૧)
આર્ટીકલ ૩૩૪: દર દસ વર્ષે સંસદ દ્વારા અનામત અંગે સમીક્ષા કરવાની જોગવાઈ
આર્ટીકલ ૩૩૮: અનુસુચિત જાતિ આયોગ બનાવવા બાબતની જોગવાઈ
આર્ટીકલ ૩૩૮-A: અનુસુચિત જન જાતિ આયોગ બનાવવાની જોગવાઈ
આર્ટીકલ ૩૪૦: ઓ.બી.સી. તપાસ પંચ બનાવવાની જોગવાઈ (OBC કમીશન)
આર્ટીકલ ૩૫૬: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગે તો કટોકટીની જોગવાઈ
આર્ટીકલ ૩૬૮: બંધારણમાં ફેરફાર કરવા બાબતની જોગવાઈ
અનુસુચિત જાતિ માટે રક્ષણના કાયદાઓ:
અનુસુચિત જાતિની વ્યક્તિઓ સાથે અસ્પૃશ્યતા પાળવા સામે રક્ષણ માટેનો કાયદો
‘’નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫’’- અસ્પૃશ્યતા ધારો
અનુસુચિત જાતિ અને જન જાતિની સુરક્ષા માટે
‘’અનુસુચિત જાતિ અને જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૮૮૯’’ અને તેના નિયમો ૧૯૯૫
‘’અનુસુચિત જાતિ જન જાતિ (અત્યાચાર અટકાવ) સુધારા અધિનિયમ ૨૦૧૫’’ અને તેના નિયમો ૨૦૧૬
પ્રતિનિધિત્વ (અનામત)ના ચાર પ્રકાર છે (૧) ઉચ્ચ શિક્ષણમા{આર્ટિકલ ૧૫{૪}, (૨) સરકારી નોકરીમાં આર્ટિકલ ૧૬{૪}(૩)સરકારી નોકરીમાં બઢતીમાં{આર્ટિકલ ૧૬{૫} (૪) રાજકીય રીતે {આર્ટિકલ ૩૩૦, ૩૩૨}
કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર્તા, અમદાવાદ, ગુજરાત
No comments:
Post a Comment