menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Saturday, January 31, 2015

DETROJ BRANCH SCHOOL  IMPORTANT  QUE.- ANS.  ( SOCIAL SCIENCE ) STD - 7  - SEC. SEM.

પાઠ-૧.  મધ્યયુગીન ગુજરાત. (૧) ગુજરાતમાં ચાવડાવંશ, વાઘેલાવંશ અને સોલંકી વંશના શાસકોએ કેટલાં વર્ષ શાસન કર્યું ? - 560 વર્ષ. (૨) મધ્યયુગીન ગુજરાતમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - અણહિલવાડ પાટણ. (૩) અણહિલવાડ પાટણને સ્થાપનાર રાજાનું નામ જણાવો. - વનરાજ ચાવડા. (૪) સિધ્ધરાજ જયસિંહે કયો ગ્રંથ બનાવડાવ્યો હતો ? - સિધ્ધહેમ શબ્દાનુંશાસન. (૫) સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ સોલંકી. (૬) પાટણની ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી ? - રાણી ઉદયમતિ. (૭) સિધ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું ? - સહસ્ત્રલિંગ તળાવ. (૮) શાહબુદ્દીન ધોરીને કઈ રાણીએ યુધ્ધમાં હાર આપી હતી ? - નાઈકીદેવી. (૯) વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. - કરણદેવ વાઘેલા. (૧૦) અહમદશાહે 1411 માં કયું નગર વસાવ્યું ? - અમદાવાદ. (૧૧) ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ ? - સત્તરમી સદીમાં. (૧૨) રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદીના કિનારે હોવાથી ક્યાં નામે ઓળખાતો ? - સરસ્વતીમંડલ. (૧૩) સોલંકી યુગ દરમિયાન અગિયારમી સદીમાં મોઢેરામાં શાનું નિર્માણ કરવામાં આવ્યું ? - સૂર્યમંદિર. (૧૪) વડનગરનાં ઐતિહાસિક સ્થાપત્યનું નામ જણાવો.  કિર્તિતોરણ.

પાઠ-૨ ભારત : આબોહવા અને કુદરતી સંશોધનો. (૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ? -કર્કવૃત. (૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ? - ઠંડું. (૩) ઓકટોબર  નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ? - મોસમી પવનો. (૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ? - કુદરતી સંશાધનો. (૫) ગંગા નદીનું બીજું નામ જણાવો. - ભગીરથી. (૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ? - કોસી નદી. (૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ? - દાલ અને વુલર. (૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નર્મદા યોજના. (૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ? -  ખનીજો. (૧૦) આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ? - સોનું. (૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ? - ૫000. (૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ? - 30 થી 35 મીટર. (૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ? - સુંદરવન. (૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ? - સુંદરીના. (૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો.  ગેંડો.

પાઠ- ૩. અદાલતો શા માટે ? (૧) અદાલતો એ કયા તંત્રનો ભાગ છે ?  ન્યાયતંત્ર. (૨) સૌથી નીચલી અદાલત કઈ અદાલત ગણાય ? - તાલુકા અદાલત. (૩) રાજ્યની વડી અદાલતને શું કહે છે ?  હાઇકોર્ટ.(૪) ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે ?  અમદાવાદ.(૪) આપણા દેશની સૌથી ટોચની અદાલત ક્યા નામે ઓળખાય છે ? - સર્વોચ્ચ અદાલત. (૫) સર્વોચ્ચ અદાલત બીજા ક્યા નામે ઓળખાય છે ? - સુપ્રિમ કોર્ટ. (૬) FIR નું પુરૂ નામ જણાવો. - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ. અદાલતના વડા અધિકારીને શું કહે છે ? ન્યાયાધીશ. (૭) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ ? - ઈ.સ. 1960 માં 

 

પાઠ-૪. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ. (૧) ભારતમાં મુઘલવંશની સ્થાપના કોણે કરી ? - બાબર. (૨) બાબરના અવસાન બાદ મુઘલવંશનો રાજા કોણ બન્યો ? - હુમાયુ. (૩) અમરકોટના રાણાને ત્યાં કયા મુઘલ શાસકનો જન્મ થયો ? - અકબર. (૪) દિલ્લીની ગાદી પર સૂરવંશનું સ્થાપનાર રાજાનું નામ જણાવો. - શેરશાહ સૂરી. (૫) અકબર નાનો હોવાથી શાસન કોણે સાંભળ્યું હતું ? - સરદાર બહેરામખાન. (૬) અકબરે કોની સાથેના યુધ્ધ વિજયથી ચિતોડ અને રણથંભોર મેળવ્યાં ? - રાણા પ્રતાપ. (૭) અકબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ? - જહાંગીર.(૮) અકબરના દરબારમાં બુધ્ધિશાળી અને હાજરજવાબી તરીકે કોણ વખણાતું ? - બિરબલ. (૯) જમીન મહેસૂલના દર કોણે નક્કી કર્યા હતાં ? - શેરશાહ સૂરી. (૧૦) સિક્કા છાપવાના સ્થળને શું કહે છે? - ટંકશાળ. (૧૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુધ્ધ ક્યાં સ્થળે થયું ? હલ્દીઘાટી.

પાઠ- ૫ ભારત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન. (૧) આપણા દેશના કેટલાં ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ?  ૭૦ % (૨) ઓછા કસવાળી જમીન ક્યાં પાકને વધુ અનુકૂળ આવે છે ? - જુવાર અને બાજરી. (૩) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન દેશમાં ક્યાં થાય છે ? - રાજસ્થાન. (૪) કયા પાકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમ છે ? - બાજરી અને શેરડી. (૫) ઘઉં ના ભંડાર તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?- પંજાબ. (૬) શણના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ? - 8 થી 10 મહિના. (૭) દુનિયાની સૌથી મોટી નહેર યોજનાનું નામ જણાવો. - ઇન્દિરા નહેર યોજના. (૮) ભારતમાં પોલાદ-ઉદ્યોગના પિતા તરીકે કોણ પ્રખ્યાત છે ? - જમશેદજી ટાટા. (૯) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? - ધોરીમાર્ગ નં- 7. (૧૦) ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં કાર્યરત છે ?- દિલ્લી અને કલકત્તા. (૧૧) પર્વતીયપ્રદેશો કે જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ શક્ય નથી, ત્યાં શાનો ઉપયોગ થાય છે ? - રોપ વે. (૧૨) રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાં શું લખેલું હોય છે ? - N.H.

પાઠ- ૬  મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત. (૧) મુઘલ સામ્રાજ્યનો સૌથી વધુ પ્રતિભાશાળી શાસક કોણ હતો ? - અકબર. (૨) વિશ્વ વિખ્યાત તાજમહલ કોણે બંધાવ્યો હતો ? - શાહજહાં. (૩) ‘રાજ્યની આબાદીનો પાયો ખેતી છે’ આવું કયો શાસક માનતો હતો ? - શાહજહાં. (૪) જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઉજવવામાં આવતો ? - દશેરા. (૫) મુઘલ શાસનકાળમાં ગુજરાતની કઈ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત હતી? - સુતરાઉ કાપડ. (૬) કયા મુઘલ શાસક મહેલોનો બાંધનાર તરીકે ઓળખાય છે ? - શાહજહાં. (૭) શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? - ઈ.સ. 1630 માં શિવનેરીના કિલ્લામાં. (૮) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં સ્થળે થયો હતો ?- રાયગઢ.

પાઠ- ૭. બજારમાં ગ્રાહક. (૧) સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે ? - ગુર્જરી બજાર. (૨) પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહે છે ? - ગ્રાહક. (૩) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું ચિન્હ હોય છે ? - લીલા રંગનું. (૪) RTI નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ ઇન્ફોર્મેશન.(૫) ખેતપેદાશોથી તૈયાર થતી ચીજવસ્તુઓ પર શાનું ચિહન હોય છે ? - લાલ રંગનું. (૬) ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - ISI. (૭) ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - વુલમાર્ક. (૮) સોના-ચાંદીની બનાવટો પર શાનું નિશાન હોય છે ?  હોલમાર્ક.

 

 

 

પાઠ  ૮. મધ્યકાલીન સ્થાપત્યો. (૧) સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? - જૂનાગઢ. (૨) જામનગરમાં ગુજરાતમાં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કયું યાત્રાધામ આવેલું છે ? - દ્વારકા. (૩) ગુજરાતનું કયું મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે? - દ્વારકા મંદિર. (૪) ભીમદેવ પહેલાએ મહેસાણા જીલ્લામાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું ? - મોઢેરાનું સૂર્યમંદિર. (૫) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ? - પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં. (૬) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? - અમદાવાદ. (૭) કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? - કુતુબુદ્દીનને. (૮) દિલ્લીનો કુતુબમિનાર કોણે બંધાવ્યો હતો ? - ઈલ્તુત્મિશ. (૯) ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ કોને બંધાવી હતી ? - કુતુબદીન ઐબક. (૧૦) તુંજાવરનું બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું ? - રાજરાજે. (૧૧) ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ? - બુલંદ દરવાજો, ઊંચાઈ-53 મીટર. (૧૨) શાહજહાંએ તાજમહલ કોની યાદમાં બંધાવ્યો હતો ? - તેની પત્ની મુમતાજની યાદમાં. (૧૩) મુઘલ શાસનકાળ દરમિયાનના સ્થાપત્યોમાંથી કોનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે ?  તાજમહલ. 

પાઠ-૯. ભારત : લોકજીવન. (૧) ગુજરાતનું કયું નૃત્ય પ્રસિધ્ધ છે ? - ગરબા. (૨) લાવણી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? - મહારાષ્ટ્ર. (૩) પંજાબનું કયું પીણું પપ્રસિધ્ધ છે ? - લસ્સી. (૪) પાંચ નદીઓનો પ્રદેશ તરીકે કોણ જાણીતું છે ? - પંજાબ. (૫) નૌકાઘર બીજા ક્યાં નામથી ઓળખાય છે ? - શિકારા. (૬) દક્ષિણ ભારતમાં કઈ વાનગી પ્રસિધ્ધ છે ? - ઈડલી-ઢોંસા. (૭) તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના નૃત્યોના નામ જણાવો. - ભરતનાટ્યમ અને કૂચિપૂડી. (૮) બંગાળની લોકપ્રિય વાનગીનું નામ જણાવો. - રસગુલ્લાં. (૯) બિહુ નૃત્ય ક્યાં રાજ્યનું છે ?  આસામ.

પાઠ- ૧૦.  જાહેર મિલકતો. (૧) જે સામગ્રી કે સ્થળનો ઉપયોગ બધાં કરી શકતા હોય તેણે શું કહેવાય ? - જાહેર મિલકત. (૨) આપણું ઘર એ જાહેર મિલકત કહેવાય ? - ના. (૩) જાહેર રસ્તા પર વ્રુક્ષો એ જાહેર મિલકત કહેવાય ? - હા. (૪) સ્થાપત્યોને નુકશાન કરવાથી શું થાય ? - ગુનો બને, સજા થાય.

પાઠ- ૧૧.  ઈશ્વર સાથે અનુરાગ. (૧) વલ્લભાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બિહારના ચંપારણ્યમાં ઈ.સ. 1479માં. (૨) ચૈતન્ય મહા પ્રભુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બંગાળમાં ઈ.સ.1485માં નાદિયામાં. (૩) ગુરૂ નાનકનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - ઈ.સ.1469માં લાહોર નજીક તલવંડી ગામે. (૪) શીખ ધર્મગ્રંથનું નામ જણાવો. - ગુરૂ ગ્રંથ સાહેબ. (૫) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી ? - સ્વામી રામાનંદ.(૬) વૈષ્ણવજન તો તેને રે કહીએ કાવ્ય કોણે રચ્યું હતું ? - નરસિંહ મહેતા. (૭) સંત કબીર શાનાં માટે જાણીતા છે ? - દોહા માટે. (૮) સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો ? - કાશી. (૯) સંત રૈદાસની શિષ્યાનું નામ જણાવો.  મીરાંબાઈ.

પાઠ- ૧૨.  ખંડ-પરિચય : ઉત્તર અમેરિકા , દક્ષિણ અમેરિકા અને યુરોપ. (૧) અમેરિકાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું ? - અમેરીગો વેસ્પુચી. (૨) અમેરિકાના મૂળ વતનીઓ ક્યા નામે ઓળખાય છે ? - રેડ ઇન્ડિયન. (૩) મેકેન્ઝી નદીઓના બનેલા મેદાનોનું નામ જણાવો. - પ્રેરિઝના મેદાનો. (૪) ઉત્તર અમેરિકાના સૌથી ઊંચાં શિખરનું નામ જણાવો. - માઉન્ટ મેકિન્લે. (૫) અલાસ્કાના બર્ફીલા પ્રદેશના લોકો કેવાં ઘરમાં રહે છે ? - બરફના ચોસલામાંથી બનેલ ઇગ્લુમાં. (૬) કેનેડામાં કયું ખનીજો વિશ્વમાં સૌથી વધુ મળે છે ? - એસ્બેસ્ટોસ, નિકલ, પ્લેટિનમ. (૭) વિશ્વની સૌથી મોટી નદીનું નામ જણાવો. - એમેઝોન. (૮) પંપાઝ મેદાનોમાં કયું ઘાસ જાણીતું છે ? - આલ્ફાલ્ફા. (૯) ઉત્તરધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારીનું નામ જણાવો. - પ્રીતી સેનગુપ્તા. (૧૦) બ્રાઝિલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે ?  એનાકોન્ડા.

 

 

 

 

 

 

 

 

   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment